Skip to main content

મહુડી સુપ્રસિદ્ધ જૈન મંદિર

મહુડી એક પ્રાચીન સ્થળ છે મહુડીને મધુપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે, મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર ( દાદા )નું મોટું પદ્મપ્રભુનું જેન મંદિર છે, અહી તેંજ દેશવિદેશમાં પણ આ મંદિર જગવિખ્યાત છે , મહુડીની સુખડી ફેમસ અને સ્વાદિષ્ટ છે એવું કહેવાય છે કે આ સુખડીને બહાર ક્યાય લઇ જઈ શકાતી નથી પરંતુ શ્રદ્ધાળુઓ



પોતાની શ્રદ્ધા અનુસાર અહી આવે છે અને દાદાને વિનવીને આ સુખડીની પ્રસાદી ઘરે તો લઇ જ જતા હોય છે કેમ કે છેક દેશ વિદેશથી પ્રવાસ ખેડીને આવે અને પ્રસાદી ઘરે લઇ જવી પડે એ આશયથી....
જે ગુજરાતના ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકામાં આવેલું પવિત્ર અને પ્રખ્યાત તીર્થ કેન્દ્ર છે.
મહુડી સાબરમતી નદીના કિનારે આવેલું રમણીય સ્થળ છે અહીનું વાતાવરણ એકદમ ખુશનુમા અને રમણીય છે, આ સ્થળની એક ખાસિયત છે કે અહી દરરોજ યાત્રાળુઓ,પ્રવાસીઓ તેમજ અનેક દર્શનાર્થીઓ આવતા હોય છે, 
અહી સરસ મજાનું બજાર છે, બજારમાં સીજન પ્રમાણે ઠંડા પીણા,ગરમા ગરમ નાસ્તો ( ગોતા,ફાફડા ) ગુજરાતી સ્વાદિષ્ટ થાળી, છાસ , લસ્સી, બોર, આમળા , કેરીની સેકેલી ગોટલી, ખાતી આંબલી, લીલી વરીયાળી અને કોઠીમડા વગેરે જેવી ખાવાની ચીજો પણ મળે છે .

તો વાચકમિત્રો તમે પણ અહી મહુડીના પ્રસિદ્ધ મંદિરની મુલાકાત લો અને દાદાના આશીર્વાદ લો.
મહુડી આવો તો રક્ષાપોટલી એટલે કે રાખડી જરૂર લેવી . મંદિરમાં દરેક દર્શનાર્થીને ફ્રીમાં મળે છે જે ખૂબ જ સરસ રક્ષાકવચ સાબિત થાય છે 

સાથે સાથે એક વાત મહત્વની છે તમે મહુડી દર્શન કરવા આવવા માંગતા હોય તો અહી કાળી ચૌદસે બહુ જ મોટો યજ્ઞ થાય છે અને મોટો મેલો ભરાય છે તો એ દિવસે આવવાથી તમને ખૂબ જ આનંદ થશે.

મહુડીમાં યાત્રાળુઓ તેમજ દરેક દર્શનાર્થીઓ માટે જમવા માટે ભોજનશાળાની સુવિધા , રહેવા માટે ઉત્તમ સગવડ અહી ઉપલબ્ધ છે.
તો પૂરા પરિવાર સાથે અચૂક આવો ...



*** ઘંટાકર્ણ મહાવીર દાદાની જય  ***

આ પોસ્ટ ગમે તો આ લિંક શેર કરો જેથી વધુ દર્શકો સુધી પોસ્ટ પહોંચી શકે 

અમારા બ્લોગને ફોલો કરો.

Comments

Popular posts from this blog

અમારા વિડીઓ જોવા નીચેની  લીંક ઓપન કરો. https://www.youtube.com/watch?v=0DRw4g9p5bg DHAMAL HINDI - SHORT MOVIE    -   HITU AODIYA                                                     HITU AODIYA 

News Anodiya || આઝાદીના 75 વર્ષે પણ અનોડીયા ગામ માળખાકીય વિકાસથી વંચિત

28.01.2022 Page No. 4 News

જન્માષ્ટમી - અનોડીયા ડોડીપાળ

દર વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સરસ મજાના સાંસ્કૃતિક  કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં જય યોગેશ્વર બાળમંડળનાં તમામ ભૂલકાઓ, શ્રી અંબિકા નવયુવકમંડળના તમામ સભ્યો અને ગામ આખાના સહયોગ અને આશીર્વાદથી આ પ્રોગ્રામમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થાય છે ગામમાંથી દરેક લોકો દ્વારા ફાળો આપવામાં આવે છે, મોટા દાતાશ્રીઓ દ્વારા પણ મોટી રકમનું કે સેવાનું દાન મળી રહે છે. આ આયોજન 1 મહિના અગાઉ તૈયાર કરવામાં આવે છે...                       આ બાળમંડળના બાળ સભ્યો છે  સ્ટેજ પ્રોગ્રામ જોવા માટે નીચેની લિંક ઓપન કરો. https://www.youtube.com/watch?v=PDQQYlTNGsk ખરેખર મજ્જા આવી જાય છે ....... આ પોસ્ટ ગમે તો આ લિંક શેર કરો જેથી વધુ દર્શકો સુધી પોસ્ટ પહોંચી શકે